ઇરાનને તાજેતરના યુદ્ધના કારણે અંદાજે રૂ. 13 લાખ કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ કારણે દેશના GDPમાં લગભગ 20% જેટલો ઘટાડો નોંધાવાની શક્યતા છે. ક્રૂડ તેલની નિકાસ અટકવાને કારણે રૂ. 3300 કરોડનું નિકાસ નુકસાન થયું છે, અને વિશ્લેષકોના અનુમાન મુજબ ઇરાનને દેશની સમૂહ પુનનિર્માણ પ્રક્રિયામાં લગભગ 10 વર્ષનો સમય લાગશે.
મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ, કામ અંગે પિતાએ ઠપકો આપતા પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને કુહાડીના ઘા ઝીંકીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પુત્ર સામે માળિયા મિયાણા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ જિલ્લામાં દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ખોરાકી ઝેરની ઘટના સામે આવી છે. કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી, જેમાં ઉલટી અને ઉબકાની ફરિયાદો નોંધાઈ હતી. તબિયત લથડતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે કડી સ્થિત Bhagyoday Hospital તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ખોરાકના નમૂનાઓની તપાસ પણ હાથ ધરાઈ છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. Israel દ્વારા Lebanon પર કરાયેલા ભીષણ હુમલાઓથી Iran ભડકી ઊઠ્યું છે. આ હુમલાના વિરોધમાં ઇરાને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ Strait of Hormuz ને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને ત્યાંથી પસાર થતા જહાજોને અટકાવ્યા છે. આ પગલાંને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા અને તેલના વેપાર પર ગંભીર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે વિશ્વ અર્થતંત્ર માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી શકે છે.
અમરેલીમાં 3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 41km દૂર નોંધાયું.
PM મોદીએ વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ
PM Narendra Modi tweets, “As the Puducherry Assembly elections commence, I urge every voter to come out and participate in record numbers. I especially appeal to our youth and to women voters to strengthen the process of democracy. Every vote matters in shaping the future of… pic.twitter.com/dHT87KB4Hk
— Tv9 Gujarati (@tv9gujarati) April 9, 2026
અમદાવાદ ખાતે Reserve Bank of India ની ઇમારત પાસે સુરક્ષા વ્યવસ્થાની કસોટી માટે NSG કમાન્ડો દ્વારા મોકડ્રિલ યોજાઈ હતી. પોલીસ અને NSG ની સંયુક્ત કામગીરી હેઠળ સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યો હતો. RBI નજીકના રસ્તાઓ તાત્કાલિક બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. NSG કમાન્ડોની ટીમે અંદરના ભાગમાં કામગીરી સંભાળી હતી, જ્યારે અમદાવાદ SOG અને સ્થાનિક પોલીસે બહારના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો હતો. સમગ્ર વિસ્તારને બેરીકેડ્સથી કોર્ડન કરીને સુરક્ષાની સઘન વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી.
આસામની ૧૨૬, કેરળની ૧૪૦ અને પુડુચેરીની બધી ૩૦ બેઠકો માટે આજે સાંજે ૭:૦૦ વાગ્યે મતદાન શરૂ થશે. આસામમાં ૭૨૨ અને કેરળમાં ૮૮૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
આજે 09 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:21 am, Thu, 9 April 26