
અમદાવાદ: વિશાલા-પિરાણા રોડ પરનો શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ કરવામાં આવ્યો. મોટા, ભારે અને મધ્યમ વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો. આવતીકાલથી 8 જાન્યુઆરી 2027 સુધી સમારકામ ચાલશે. બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હોવાથી સમારકામ ચાલશે. શાસ્ત્રી બ્રિજ આગામી 11 મહિના મહિના માટે બંધ રહેશે.
સુરતના સરોલી વિસ્તારમાં આવેલી નિધી ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાની સાથે જ સમગ્ર માર્કેટમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગના કારણો હજુ સ્પષ્ટ થયા નથી અને નુકસાનના અંદાજ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદઃ બોરસદ ચોકડી પાસે કોસમોસ વેલીનું લોકાર્પણ કર્યુ. કોસમોસ વેલીમાં અનેક પ્રકારના ફુલો ઉછેરાયા. બોરસદ ચોકડી ઓવરબ્રિજ નીચે પડેલી વિશાળ જગ્યામા આયોજન કરવામાં આવ્યુ. 20 રૂપિયા ખર્ચીને પાર્કની લઈ મુલાકાત કરી શકાશે.
મહેસાણા: બહુચરાજીમાં કુટણખાનાનો પર્દાફાશ થયો છે. શક્તિ લેન્ડમાર્કમાં સ્પાની આડમાં કુટણખાનુ ચાલતું હતું. સ્પા પાર્લરના બહાને સેક્સ રેકેટ ચલાવાતું હતું. પરપ્રાંતિય યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. પોલીસે સ્પા સંચાલક રાજુ ચૌધરીની ધરપકડ કરી. ગ્રાહક દીઠ રૂ. 1હજાર વસૂલીને સંચાલક વેપલો કરાતો હતો.
રાજ્યનાં પૂર્વ મુખ્યપ્રધાન દિવંગત વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાજપનાં કાર્યક્રમમાં હાજરી આપી. વિજય રૂપાણીના નિધન બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા અંજલિ રૂપાણી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારનાં પ્રધન રીવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા. રીવાબા જાડેજાએ દર્શકો વચ્ચે બેઠેલા અંજલિ રૂપાણીને બોલાવીને મંચ પર બેસાડ્યા હતા.
રાજસ્થાન: કોટાનાં જવાહરનગરમાં ઇમારત ધરાશાયી થઇ. કાટમાળમાંથી 4થી 5 લોકોને બહાર કઢાયા. હજૂ પણ કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા રેસક્યૂ ટીમે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું.
આજે 08 ફેબ્રુઆરીને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:35 am, Sun, 8 February 26