
આજે 06 ડિસેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મેઘાણીનગરમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સફેદ હુડી પહેરેલા અજાણ્યા આરોપીની ઓળખ કરી પોલીસે તેની ધરપકડ કરી છે. રામકુમારસિંહ ઉર્ફે છોટુ તોમર ઝડપાયો છે. 30 નવેમ્બરની રાત્રે કિસ્મતનગર વિસ્તારમાં ચંદ્રશેખર તોમર ઉપર પાછળથી ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીને મૃતકના સંબંધીની દીકરી સાથે પ્રેમ સબંધ હતો. પ્રેમ સંબંધની જાણ મૃતક ચંદ્રશેખર અને તેના સંબંધી થતાં બોલાચાલી થયેલી. જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હતી.
નિવૃત IAS પ્રદીપ શર્માને, EDની સ્પેશિયલ કોર્ટે ફટકારી 5 વર્ષની સજા. અમદાવાદની સ્પેશિયલ ED અદાલતે IAS પ્રદીપ શર્માને આજે સવારે દોષિત જાહેર કર્યા બાદ, સાંજે સજાનું એલાન કર્યું હતું. સ્પેશિયલ PMLA કોર્ટના જજ કે એમ સોજીત્રા એ પ્રદિપ શર્માને સજા ફટકારી હતી. PMLA એક્ટ 3 અને 4 અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજાનું એલાન કર્યું હતું. ભુજમાં વેલસ્પન કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા હતા. નિવૃત્ત IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજાર રૂપિયાનો દંડ અને શિડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાની કોર્ટે ફટકારી સજા. ED એ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે.
વડોદરાના ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. સીમળીયા ગામના સરપંચ આકાશ રાઠોડે, ડભોઇ પોલીસને જાણ કરી છે કે, અજાણ્યા વાહને યુવકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. ગોપાલપુરા ચેકપોસ્ટ નજીકથી પસાર થતી વેળા અજાણ્યા વાહને યુવકને અડફેટે લીધો. અકસ્માત સર્જી વાહન ચાલક થયો છે ફરાર. આખીય ઘટના વિસ્તારમાં શંકા લગાવી રહી છે. ખરેખર અકસ્માતમાં યુવકનું મોત કે પછી અન્ય કોઈ કારણસર યુવક મોતને નીપજ્યું છે તે બાબતે વિસ્તારમાં ચણભણાટ શરૂ થયો છે. ડભોઇ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઝાડા ઉલટીના 30 કેસ નોંધાયા છે. આ બનાવ અંગે એવી વિગતો સામે આવી રહી છે કે, લગ્ન પ્રસંગમાં જમણવારમાં જમ્યા બાદ ઝાડા ઉલટીના 30 કેસ નોંધાયા છે. હાલમાં એક દર્દી સારવાર હેઠળ છે.
પરવાનગી વગરની હોસ્પિટલો પર AMC એ તવાઈ બોલાવી છે. 103 એકમો ચેક કરતા 5 જેટલા હોસ્પિટલ અને નર્સિંગ હોમ સીલ કરવામાં આવ્યા છે. 13 હોસ્પિટલને BU રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 3 જેટલા સિનેમા ગૃહ સીલ કરાયા છે. પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગની મહત્વની કામગીરી હાથ ધરી છે. વસ્ત્રાલ હાથીજણ ઓઢવ નિકોલમાં સીલ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. બાંધકામ નિયમિત કરાવ્યા વિના લાંબા સમયથી ચાલતી હતી હોસ્પિટલ.
ચાંગોદર ખાતે આવેલ પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ચાંગોદર-સરખેજ-બાવળા હાઇવે પર આવેલી પાપડ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડાદોડી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાઈ રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ પોલીસ અને ફાયર ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો અન્ય કોઈ જાનહાની થયા ના અહેવાલ નથી.
ઇન્ડિગોનું સંકટ ચાલુ છે. દેશભરના ઘણા એરપોર્ટ પર મુસાફરોને નોંધપાત્ર અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઇન્ડિગોના ઉચ્ચ અધિકારીઓને, આજે સાંજે 6 વાગ્યે ઉડ્ડયન મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક અજીબ ઘટના બની છે. અત્યંત ઝેરી સાપને, એક યુવાને CPR આપીને જીવ બચાવ્યો હતો. જીવદયા પ્રેમીએ અત્યંત ઝેરી રસેલ વાઇપરને સ્ટ્રોથી CPR આપ્યું હતું. એક સ્કૂલમાં બે ઝેરી રસેલ વાઇપર સાપ દેખાયા હતા. જીવદયા પ્રેમી અલી અન્સારીએ સાપોનું કર્યું રેસ્ક્યુ. પોતાના જીવને જોખમમાં મૂકી બેહોશ રસેલ વાઇપરના મોઢામાં સ્ટ્રો નાખી CPRથી જીવ બચાવ્યો હતો. જિલ્લામાં સાપોને CPR આપી નવું જીવન આપવાનો આ બીજો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ નાનાપોંઢાના આમધા ગામમાં યુવકે પણ મોઢાથી સાપને CPR આપ્યું હતું.
છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી સહીત 12 ગામ હજુ પણ પાકા રસ્તા વંચિત રહેવા પામ્યા છે. 15 જેટલા ગામની લગભગ 15000 ની વસ્તી છે. આઝાદીના વર્ષો બાદ પણ આરોગ્ય સેવા, શિક્ષણ, અને પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી ગામના લોકો વંચિત રહ્યાં છે. 108 ની ગાડી પણ ગામોમા જઈ શકતી નથી. ચોમાસાના સમયે એક ગામથી બીજા ગામના લોકો સંપર્ક વિહોણા બને છે. આ તમામ સમસ્યાને લઇ અધિક કલેક્ટરને ગામ લોકોએ આપ્યું આવેદન પત્ર.
વલસાડ જિલ્લા SOG પોલીસે જુદા જુદા બે હત્યાના ગુનાઓના આરોપી યુવક- યુવતી પ્રેમી પંખીડાઓને પાણીપતથી ઝડપી પાડ્યા છે. યુવતી વલસાડમાં ડબલ મર્ડરના ગુનામાં જેલમાં હતી. યુવક અને યુવતી બંને હત્યાના ગુનામાં જેલની સજા ભોગી રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ પેરોલ પર છૂટી બંને ફરાર થઈ ગયા હતા. આખરે 8 વર્ષ બાદ પોલીસની પકડમાં આવ્યા છે.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે અમિત શાહ વાવ-થરાદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી. અમિત શાહે વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે બનાસ ડેરી નિર્મિત બાયો CNG અને ફર્ટિલાઈઝર પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ. અને 150 ટનના પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કર્યુ.બનાસ ડેરીના સણાદર પ્લાન્ટમાં કાર્યરત પાવડર પ્લાન્ટ તેમજ બટાટાના પ્લાન્ટની મુલાકાત લીધી.
વડોદરા: પાદરામાં MGVCLની ટીમે દરોડા પાડ્યા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. MGVCLની ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. ટાવર વિસ્તાર, મુખ્ય બજાર, ચકલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. ગ્રામ્યના ભાદરા, સાધી, રણું, પાટોદ સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા. 40 જેટલી ટીમો દ્વારા દરોડા પાડતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદઃ એરપોર્ટ પર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન કર્યુ. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવા મુદ્દે NSUIના દેખાવો કર્યા. વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
ભાવનગર શહેરના લાલટાંકી વિસ્તારની દુકાનમાંથી ખરીદેલી મિઠાઈમાં જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. પંડ્યા મિઠાઈ નામની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલા ખજૂર પાકમાં જીવાત નીકળી હતી. ગ્રાહકે આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી. દુકાનમાં રહેલી અન્ય મિઠાઈની ગ્રાહકે તપાસ કરતા તેમાં પણ જીવાત જોવા મળી હતી. મનપાના આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આરોગ્યને નુકસાન પહોંચે તેવી મિઠાઈનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તો હવે આરોગ્ય વિભાગ ઘોરનિંદ્રામાંથી જાગીને કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.
ઇન્ડિગોએ આજે અત્યાર સુધીમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે. આમાં હૈદરાબાદની 69, દિલ્હીની 106, મુંબઈની 109, ચેન્નાઈની 48, અમદાવાદની 19, હૈદરાબાદની 69, જયપુરની 69, ચંદીગઢની 10 અને વિશાખાપટ્ટનમની 20 ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
#WATCH | Karnataka: Visuals from Kempegowda International Airport in Bengaluru, where long queues of passengers are seen.
IndiGo passengers continue to be affected amid flight disruptions and cancellations. pic.twitter.com/J1DAVgvPhk
— ANI (@ANI) December 6, 2025
સુરતના કરંજ વિસ્તારમાં યુવાનો વચ્ચે થયેલી મારામારીનો મામલો સામે આવ્યો છે. બેસવા જેવી મુદ્દાસર બાબતે શરૂ થયેલો વિવાદ જાહેરમાં જ હિંસક બની ગયો હતો, જેના કારણે વિસ્તારમાં એક સમયે ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને ઝડપભર્યા પગલા ભરતાં કુલ 6 આરોપીઓને ધરપકડ કરી લીધો. પ્રાથમિક તપાસમાં ત્રણ આરોપીઓ પરપ્રાંતિય હોવાનો ખુલાસો થયો છે. પોલીસએ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ ભાડામાં અચાનક વધારા અંગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે કેટલીક એરલાઇન્સના વધેલા ભાડાની ગંભીર નોંધ લીધી છે. મુસાફરોને વધુ ભાડા ચૂકવતા અટકાવવા માટે ભાડાની મર્યાદા લાદવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે બધી એરલાઇન્સે નવી ભાડાની મર્યાદાઓનું પાલન કરવું ફરજિયાત છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ નિયમો અમલમાં રહેશે. મંત્રાલય હવાઈ ભાડાનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરશે. વધુમાં, આ નિયમોનું ઉલ્લંઘન કરતી એરલાઇન્સ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરાઃ શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના બની છે. વાઘોડિયામાં શિક્ષક પર વિદ્યાર્થિનીની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. રિસેસના સમયમાં બીભત્સ ઈશારા કરી વિદ્યાર્થિનીની છેડતી કરી. રક્ષાબંધનના તેહવારમાં પણ વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો આરોપ લાગ્ચો. વિદ્યાર્થિનીના પિતાએ જરોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી શિક્ષકની શોધખોળ હાથ ધરી.
સુરતના માંડવી પંથકમાં દીપડાની દહેશત યથાવત રહી છે. માંડવીના ઝરપણ ગામની સીમમાં દીપડાએ મજૂર પર હુમલો કર્યો, જે શરડી કાપતી વખતે ઘાતક બની ગયો. હુમલામાં મજૂરને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી.
વડોદરા: એરપોર્ટ પર આજે ઈન્ડિગોની તમામ ફ્લાઈટ્સ રદ થઇ છે. વડોદરાથી મુંબઇ, હૈદરાબાદ, ગોવાની ફ્લાઈટ કેન્સલ. વડોદરા એરપોર્ટ ઓથોરિટી તરફથી જાહેરાત કરાઈ. પાછલા 11 દિવસમાં વડોદરાની 28 ફ્લાઈટ કેન્સલ થઈ. એરપોર્ટ પર પહોંચ્યા બાદ મુસાફરોને જાણ થતાં મુશ્કેલી થઇ રહી છે. કનેક્ટિંગ ફ્લાઈટવાળા મુસાફરો હાલાકીમાં મુકાયા. હોટલ બુકિંગ કરાવનારાઓની ચિંતા વધી.
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજકીય તાપમાન ચઢાવી દીધું છે. આ ઘટનામાં નવું વળાંક ત્યારે આવ્યું જ્યારે એક કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે જૂતું ફેંકનાર વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા હતો. કોર્પોરેટરે આરોપને મજબૂત બનાવવા માટે જેનબ ખફી નામની વ્યક્તિના જૂના ફોટા અને વીડિયો રજૂ કર્યા છે, જેમાં આરોપી કોંગ્રેસ નેતા અમિત ચાવડા સાથે જોવા મળે છે. કોર્પોરેટરનો આક્ષેપ છે કે આ વ્યક્તિએ કોંગ્રેસ છોડી AAPમાં જોડાતા જ આ કૃત્ય કર્યું. ઘટનાને લઈને બંને પક્ષોમાં ઘમાસાણ રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી વિસ્તારમાં આજે ભારે આગનો કિસ્સો સામે આવ્યો છે. બી એન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ–2માં અચાનક આગ લાગી હોવાથી ભારે દોડધામ મચી ગઈ. એલ્યુમિનિયમનો પાવડર બનાવતી આ કંપનીમાં આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં જ પારડી, વલસાડ, અતુલ તેમજ વાપીની ફાયર ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા. સદનસીબે, સમયસરની તત્કાળ કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
આજે પણ ઇન્ડિગોની અનેક ઉડાનો રદ છે. અમદાવાદ એરપોર્ટ પરની 19 ફલાઇ્ટ કેન્સલ થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી જનારી 12 અને આવનારી 7 ઉડાન રદ થઇ છે.
કેરળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે આજે મહત્વનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટની અનુમતિ બાદ ચૂંટણી આયોગ (EC)એ SIR પૂર્ણ કરવાની સમયમર્યાદામાં એક સપ્તાહનો વધારો કર્યો છે. હવે આ પ્રક્રિયા માટેનો સમય 18 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. કેરળ સરકારે સમયમર્યાદા વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને મંજૂરી મળ્યા પછી આ વધારાનો અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની તક મળશે.
The Election Commission of India extended the schedule for the ongoing Special Intensive Revision (SIR) of electoral rolls in Kerala by one week. #SIR2025 #KeralSIR #ElectionCommission #TV9Gujarati pic.twitter.com/96t7kC0in3
— Tv9 Gujarati (@tv9gujarati) December 6, 2025
ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અશુવિધા ન થાય તે માટે રેલવેની અસંખ્ય સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરભંગા–આનંદ વિહાર રૂટ પર એક સ્પેશિયલ ટ્રેન તેમજ પટના–આનંદ વિહાર રૂટ પર બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. ઉપરાંત, અમદાવાદ સહિતના મહત્વના રૂટ પર પણ જરૂરીયાત મુજબ વિશેષ ટ્રેનો શરૂ કરવાની તૈયારી છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન સમકક્ષ પ્રાથમિકતા આપીને સમયસર અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવામાં આવશે.
Indian Railways, in view of the surge in passenger demand following widespread flight cancellations, has taken extensive measures to ensure smooth travel and adequate availability of accommodation across the network. A total of 37 trains have been augmented with 116 additional… pic.twitter.com/edXpwCP46x
— Tv9 Gujarati (@tv9gujarati) December 6, 2025
ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટે મોટો નિર્ણય લીધો છે. સ્પાઇસ જેટનો વધારાની 100 ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય લીધો. દિલ્લીથી મુંબઇ, કોલકાતા માટે સ્પાઇસજેટની ફ્લાઇટ ઉડશે. મુંબઇથી બેંગાલુરૂ અને દિલ્લી માટે વધારાની ફ્લાઇટ ગોઠવાશે.
Published On - 7:32 am, Sat, 6 December 25