05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરમાં થઇ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

05 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : યાત્રાધામ ડાકોર, દ્વારકા, શામળાજી સહિતના મંદિરમાં થઇ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી
| Edited By: | Updated on: Sep 05, 2026 | 7:58 AM

LIVE NEWS & UPDATES

  • 05 Sep 2026 07:58 AM (IST)

    બનાસકાંઠામાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી

    બનાસકાંઠામાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મહેબૂબ બલોચ, સલીમ બલોચ અને નરસિંહ રાવળ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ શિક્ષકને બાલારામના જંગલમાં લઈ જઈ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. શિક્ષક પાસેથી ₹1.15 લાખ પડાવ્યાનું પણ સામે આવ્યું છે. સમગ્ર કાવતરામાં શિક્ષક, એક પત્રકાર અને મહિલાની સંડોવણી હોવાના આક્ષેપ છે, જ્યારે આશા શર્મા સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

  • 05 Sep 2026 07:46 AM (IST)

    સુરેન્દ્રનગરમાં ભંગારના વેપારીનું અપહરણ કરી લૂંટ

    સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં ભંગારના વેપારીનું કારમાં સવાર ત્રણ શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ છરીની અણીએ વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બાદમાં વેપારીના ખાતામાંથી ઓનલાઈન ₹1.38 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને આશરે ₹40 હજારની સોનાની ચેન પણ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો એક આરોપી વેપારીનો જાણભેદુ હોવાનું પણ સામે આવ્યું છે.


  • 05 Sep 2026 07:23 AM (IST)

    રાજકોટમાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, ગોવિંદો ઊંચાઈ પરથી નીચે પટકાયો

    રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મટકી ફોડવા માટે બનાવવામાં આવેલી માનવ પિરામિડમાં સામેલ ગોવિંદો ઊંચાઈ પરથી નીચે ખાબક્યો હતો. નીચે પટકાતા તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ગોવિંદોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

  • 05 Sep 2026 07:22 AM (IST)

    સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો

    આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. હકડેઠઠ મેદની વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આખા દિવસના ધાર્મિક વિધિ-વિધાનો બાદ હવે તમામ શ્રદ્ધાળુઓ બરાબર મધરાતે 12 વાગ્યાના દિવ્ય ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે મધરાતે 12ના ટકોરે ભગવાનનો જન્મ થશે અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર હરિધામો ગૂંજી ઊઠશે.

આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

Published On - 7:22 am, Sat, 5 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.