આનંદનગર પોલીસે જોધપુર વિસ્તારમાં યુવતી પર પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરાયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 21 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ફોરેન્સિક, સાંયોગિક અને ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ પૂર્ણ કરી, જે સંબંધિત વિગતો ચાર્જશીટમાં રજૂ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આ કેસને લઈને કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
નેપાળમાં સર્જાયેલી મહાત્રાસદીમાં મૃત્યુઆંક વધીને 1,204 થયો છે, જ્યારે 4,875થી વધુ લોકો હજુ પણ લાપતા છે. રેસ્ક્યૂ ટીમોએ અત્યાર સુધીમાં 1,114 જેટલા મૃતદેહો શોધી કાઢ્યા છે અને 12 હજારથી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. 300થી વધુ વિદેશી પ્રવાસી નાગરિકોને પણ બચાવી લેવાયા છે, જોકે 34 દેશોના આશરે 590 વિદેશી નાગરિકો હજુ લાપતા છે. અત્યાર સુધીમાં 95 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. કૈલાશ પર્વતથી પરત ફરી રહેલા આશરે 2,500 યાત્રાળુઓને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. શોધ અને બચાવ કામગીરીમાં 21,314 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ, તિબેટમાં પણ મૃત્યુઆંક વધીને 21 થયો છે અને 541 લોકો હજુ ગુમ છે.
આજે 03 સપ્ટેમ્બરના ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો
Published On - 7:41 am, Thu, 3 September 26