02 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરા આવશે, વડોદરામાં બે કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી

આજે 02 સપ્ટેમ્બરના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

02 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરા આવશે, વડોદરામાં બે કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી
| Edited By: | Updated on: Sep 02, 2026 | 8:37 AM

LIVE NEWS & UPDATES

  • 02 Sep 2026 08:37 AM (IST)

    ઉત્તરાખંડથી તેલંગાણા સુધી ભારે વરસાદની ચેતવણી

    દેશના ઉત્તરાખંડથી લઈને તેલંગાણા સુધી આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના 21 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

  • 02 Sep 2026 08:36 AM (IST)

    ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક

    ગાંધીનગરમાં આજે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાશે. બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા ઉપરાંત મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને વિધાનસભાના ચોમાસુ સત્રની તૈયારીઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવશે.


  • 02 Sep 2026 07:59 AM (IST)

    નેપાળઃ ભયાનક હોનારતમાં સતત વધી રહ્યો છે મૃત્યુઆંક, ત્રાસદીમાં 1093 લોકોનાં મોત

    નેપાળમાં સર્જાયેલી ભયાનક હોનારતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્રાસદીમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1093 પર પહોંચ્યો છે, જ્યારે હજુ પણ અંદાજે 4,500 લોકો ગુમ હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સૌથી વધુ 321 જેટલા મૃતદેહો ચિત્તવનમાંથી મળ્યા છે, જ્યારે નવલપરાસી પૂર્વમાંથી 261 જેટલા મૃતદેહો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.

  • 02 Sep 2026 07:50 AM (IST)

    વડોદરા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ બે અલગ-અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ મુર્મુ એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત પાદરાના તાજપુરા રોડ પર યોજાનારા બ્રહ્માકુમારીના કાર્યક્રમમાં પણ રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે.

આજે 02 સપ્ટેમ્બરના બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

Published On - 7:44 am, Wed, 2 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.