ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને છેલ્લી ચેતવણી

|

Nov 29, 2018 | 8:44 AM

સ્કૂલમાં ભણતાં બાળકોને ભાર વગરનું ભણતર મળે તે હેતુથી ગુજરાત રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્કૂલ બેગમાં વજન ઘટાડવા માટે સ્કૂલોને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે પણ તેના કડક અમલ માટે કમર કસી છે. આ પણ વાંચો : વિદ્યાર્થીઓને ભારે ભરખમ દફ્તરમાંથી મળશે છૂટકારો, સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય […]

ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને  છેલ્લી ચેતવણી
School Bag_Tv9

Follow us on

સ્કૂલમાં ભણતાં બાળકોને ભાર વગરનું ભણતર મળે તે હેતુથી ગુજરાત રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્કૂલ બેગમાં વજન ઘટાડવા માટે સ્કૂલોને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે પણ તેના કડક અમલ માટે કમર કસી છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓને ભારે ભરખમ દફ્તરમાંથી મળશે છૂટકારો, સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

સ્કૂલ બેગના વજનને લઈને જાહેર કરવામાં આવેલા પરિપત્ર અંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સ્કૂલ બેગનું વજન બાળકના વજન કરતા 10 ટકા હોવું જોઈએ. એટલું જ નહીં આ પરિપત્રમાં એવી પણ ચેતવણી આપી કે જો કોઈ શાળા પરિપત્રનું પાલન નહીં કરે તો તેની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર

આ સાથે જ એવી પણ માહિતી આપવામાં આવી છે કે, નિબંધમાળા અન્ય નોટબુક, હોમ વર્ક બુક વગેરે જેવી વધારાની નોટબુક વિદ્યાર્થીઓની પાસે રાખવાની મનાઇ ફરમાવામાં આવી છે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય નહિં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 3,4 અને 5નાં વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક સુધીનું જ ગૃહકાર્ય આપવા માટે શિક્ષકોને આદેશ કરી દેવામાં આવશે.

ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિપત્ર બહાર પાડીને ભાર વિનાના ભણતરને લઇને અગત્યના મુદ્દાઓને લઇને નિર્ણયો લેવામાં આવ્યો હતો. સ્કૂલ બેગના વજન અંગે પંચમહાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, ભાર વગરનું ભણતર થાય તેવું સરકાર પણ ઈચ્છી રહી છે.

[yop_poll id=”8″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:12 pm, Tue, 27 November 18

Next Article