Gujarat Covid19 Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 18 જૂનના રોજ 300 થી ઓછા કોરોનાના નવા કેસો નોંધાયા હતા. તો આજે 19 જૂનના રોજ પણ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં 18 જૂન કરતા પણ ઘટાડો થયો છે.
228 નવા કેસ, 5 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 19 જૂનના રોજ કોરોનાના નવા 228 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,22,149 થઇ છે અને મૃત્યુઆંક 10,૦28 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 1, સુરત શહેર અને જિલ્લામાં 1-1, ગાંધીનગર જિલ્લામાં 1 અને મહીસાગર જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.
874 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 6579 થયા
રાજ્યમાં આજે 19 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 874 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,05,542 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.98 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 6579 થયા છે, જેમાં 173 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 6406 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Covid19 Update)
આજે 3,24,615 નાગરિકોનું રસીકરણ થયું
રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 19 જૂનના રોજ રાજ્યમાં પહેલી વાર ત્રણ લાખથી વધુ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 3,24,615 નાગરિકોનું રસીકરણ થયું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,18,71,920 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો
1) 3192 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 4670 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 58,306 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 38,730 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 2,18,207 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 1510 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Covid19 Update)
Published On - 9:01 pm, Sat, 19 June 21