Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા

|

Jun 05, 2021 | 8:51 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 5 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોવીડ-19 ના 996 કેસ, 15 મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 20,000 થયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 5 જૂન ના રોજ 1000 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3004 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

996 નવા કેસ, 15 મૃત્યુ
રાજ્યમાં આજે 5 જૂનના રોજ કોરોનાના નવા 996 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 15 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,15,386 થઇ છે અને મૃત્યુઆંક 9921 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અમદાવાદ : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ
સુરત : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 1, જિલ્લામાં 0 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ

અમદાવાદમાં 142, વડોદરામાં 132 નવા કેસ
રાજ્યમાં આજે 5 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 142, વડોદરામાં 132, સુરતમાં 81, રાજકોટમાં 49, જામનગરમાં 25, જુનાગઢમાં 13 અને ભાવનગરમાં કોરોનાના 7 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

3004 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 5 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 3398 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,85,378 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.32 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 20,087 થયા છે, જેમાં 382 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 19,705 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,63,507 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં ગઈકાલે 4 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં પહેલીવાર એક જ દિવસમાં પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આજે પણ 2,63,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 2892 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 3578 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 37,646 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 21,268 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,98,123 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Published On - 8:43 pm, Sat, 5 June 21

Next Article