Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ, 16 મૃત્યુ, પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ

|

Jun 04, 2021 | 8:13 PM

Gujarat Corona Update : રસીકરણ અભિયાન અંતર્ગત રાજ્યમાં આજે 2,75,139 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.

Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ, 16 મૃત્યુ, પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસો અને સાથે મૃત્યુમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 4 જૂન ના રોજ 1200 થી પણ ઓછા નવા કેસો નોંધાયા છે, આ સાથે 3398 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રસીકરણ અભિયાનમાં પહેલીવાર એક જ દિવસમાં પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

1120 નવા કેસ, 17 મૃત્યુ
રાજ્યમાં આજે 4 જૂનના રોજ કોરોનાના નવા 1120 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 16 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,14,390 થઇ છે અને મૃત્યુઆંક 9906 થયો છે. આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

અમદાવાદ : શહેરમાં 4, જિલ્લામાં 0 મૃત્યુ
સુરત : શહેરમાં 1, જિલ્લામાં 2 મૃત્યુ
વડોદરા : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
જામનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ
જુનાગઢ : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 0, જિલ્લામાં 1 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 0, જિલ્લામાં 0 મૃત્યુ

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

અમદાવાદમાં 176, વડોદરામાં 134 નવા કેસ
રાજ્યમાં આજે 4 જૂનના રોજ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 176, વડોદરામાં 134, સુરતમાં 85, રાજકોટમાં 59, જામનગરમાં 29, જુનાગઢમાં 18 અને ભાવનગરમાં કોરોનાના 14 નવા કેસ નોધાયા છે. (Gujarat Corona Update)

 

 

3398 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 4 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 3398 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,82,374 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 96.07 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 23 હજારથી નીચે 22,110 થયા છે, જેમાં 412 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 21,698 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,75,139 લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 3 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં પહેલીવાર એક જ દિવસમાં પોણા ત્રણ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 2,75,139 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં

1) 4416 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 4459 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 51,160 લોકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 24,474 લોકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,89,636 લોકોના પ્રથમ ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

આ પણ વાંચો : Lancet Journal : એક વાર સંક્રમિત થયા બાદ 10 મહિના સુધી કોરોના સંક્રમણનું જોખમ ઓછું

Next Article