GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 23 ઓગષ્ટે કોરોનાના નવા 14 કેસ, એક પણ મૃત્યુ નહીં, 5 લાખ લોકોનું રસીકરણ થયું

|

Aug 23, 2021 | 9:01 PM

રાજ્યમાં આજે 23 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,066 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 23 ઓગષ્ટે કોરોનાના નવા 14 કેસ, એક પણ મૃત્યુ નહીં, 5 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update 23 August 2021

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે, તો સાથે એક્ટીવ કેસો પણ ઘટી રહ્યાં છે. તો કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં કોરોનાના કારણે દર્દીઓના મૃત્યુ થવાનું નહીવત થઇ ગયું છે, 6 કે 7 દિવસે એક દર્દીનું મૃત્યુ નોંધાય છે.

કોરોનાના 14 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 23 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,241 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,078 પર પહોચ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

25 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 171 થયા
રાજ્યમાં આજે 23 ઓગષ્ટના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,066 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 23 ઓગષ્ટે એક્ટીવ કેસ પણ ઘટીને 171 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર પહોચ્યો છે.

આજે 5.01 લાખ લોકોનું રસીકરણ થયું
રાજ્યમાં આજે 23 ઓગષ્ટના રોજ 5,01,845 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું, જેમાં સૌથી વધુ 18-45 વર્ષના 2,64,887 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને 45 થી વધુ ઉમરના 85, 689 લોકોને પેલો ડોઝ આપવામાં આવ્યો. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંકડો 4,31,68,497 થયો છે.

રસીકરણમાં ગુજરાતની વધુ એક સિદ્ધી
દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેક રસીકરણ નોંધાયું છે.માત્ર ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 1 કરોડ 18 હજાર લોકોને રસીના ડોઝ અપાયા છે..જ્યારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ કરતા વધુ લોકોનું રસીકરણ કરાયું…જેમાં સૌથી વધુ સુરતમાં 54,148 લોકોને રસી અપાઇ, તો અમદાવાદમાં 4, 438 લોકોનું રસીકરણ કરાયું.આ તરફ વડોદરામાં 21, 276 અને રાજકોટમાં 22, 617 લોકોને રસીના ડોઝ અપાયા..આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4,31,68,497 થયો છે.

આ પણ વાંચો : BANASKANTHA : વાવ, થરાદ અને લાખણીમાં ખેડૂતોનો પાક બળી ગયો, બિયારણનો ખર્ચો માથે પડ્યો

આ પણ વાંચો :AHMEDABAD : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા નિષ્ણાતોએ કરી આ ભલામણો

Next Article