AHMEDABAD : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા નિષ્ણાતોએ કરી આ ભલામણો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલનો રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 7:42 PM

AHMEDABAD : કોરોના વાયરસનુ સંકટ હજી પુરી રીતે ટળ્યુ નથી તેવામાં ત્રીજી લહેરની આશંકાઓ સેવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પેનલે પીએમઓને રિપોર્ટ સોંપ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે ત્રીજી લહેરને લઇને અનુમાન લગાવ્યુ છે.

આ રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બાળકો માટે વેક્સિનેશન શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. સમિતિએ પણ મોટી સંખ્યામાં બાળકોના વેક્સિનેશનની જરૂરીયાત ગણાવી છે. આ સાથે જ કોવિડ વોર્ડને એ પ્રમાણે તૈયાર કરવાની સલાહ આપી છે કે બાળકોના માતા-પિતા પણ બાળક સાથે રહી શકે. આ રીપોર્ટને અનુસંધાને નિષ્ણાતોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા થોડીક ભલામણો કરી છે –

1) કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર પુખ્તવયના વ્યક્તિઓ જેટલો જ ખતરો છે.

2) દેશમાં બાળકોની સારવાર માટે સુવિધાઓ ઉભી કરવામાં આવે.

3)ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની સંભવાના સામે સુવિધા નહીવત છે, જેના પર વધુ ધ્યાન દેવામાં આવે.

4) દેશમાં બાળકોની સારવાર માટે પૂરતા ડોક્ટર્સ, નર્સ, મેડીકલ સ્ટાફ, વેન્ટીલેટર અને એમ્બ્યુલન્સનો અભાવ છે જેના પર વધુ ધ્યાન આપવામાં આવે.

5)કોમોર્બીડ બાળકોના રસીકરણ પર વધુ ભાર મુકવામાં આવે

6)દિવ્યાંગ બાળકોને પણ રસીકરણમાં અગ્રતા આપવામાં આવે

રાહતની વાત એ છે કે દેશમાં રસીકરણ અભિયાનની રફતાર વધી ગઇ છે.અત્યાર સુધી દેશની વસ્તીના 10 ટકા લોકોને વૅક્સીનના બંને ડોઝ લાગી ગયા છે.જ્યારે 34 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગી ગયો છે. હજી જો આગામી 2 મહિનાઓમાં વૅક્સીન આપવાની રફતાર વધશે તો ત્રીજી લહેરની ઘાત હળવી થઇ જશે.

આ પણ વાંચો : AHMEDABAD : નરોડા પાટીયા વિસ્તારમાં શહેરનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રીજ બનશે

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">