GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 6 સપ્ટેમ્બરે કોરોનાના નવા 19 કેસ, 6 લાખ લોકોનું રસીકરણ થયું

|

Sep 06, 2021 | 8:25 PM

રાજ્યમાં આજે 6 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,275 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 6 સપ્ટેમ્બરે કોરોનાના નવા 19  કેસ, 6 લાખ લોકોનું રસીકરણ થયું
Gujarat Corona Update :19 new cases of corona, 6 lakh people were vaccinated on 6 September in Gujarat

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસ મહામારીના કેસો દિવસે ને દિવસે ઘટી રહ્યાં છે, બીજી બાજુ આ વાયરસથી થતા મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં 2-4 દિવસે એક મૃત્યુ નોંધાય છે, એક્ટીવ કેસો ઘટી રહ્યાં છે તો સામે કોરોના રસીકરણ મહાઅભિયાન પણ પુરજોશમાં શરૂ છે.

કોરોનાના 19 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 6 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 19 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,509 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 9, સુરત અને વડોદરામાં 3-3, કચ્છ જિલ્લામાં 2 તેમજ ભાવનગરશહેર અને ગીરસોમનાથ જિલ્લામાં કોરોના વાયસરનો 1-1 નવો કેસ નોંધાયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

13 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 148 થયા
રાજ્યમાં આજે 6 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 13 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,275 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 6 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 152 થયા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 6 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 6 સપ્ટેમ્બરના રોજ 6,01,254 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 46,975 સુરતમાં 57,386, વડોદરામાં 12,576, રાજકોટમાં 11,628, ભાવનગરમાં 3824, ગાંધીનગરના 3071, જામનગરમાં 7692 અને જુનાગઢમાં 2139 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18 થી 45 ઉમરવર્ગના 2,63,081 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18 થી 45 ઉમરવર્ગના 1,72,160 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે થયેલા રસીકરણ બાદ કુલ 4 કરોડ 86 લાખ, 23 હજાર અને 043 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.

Next Article