ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ
Gujarat Corona Update (File Image)
| Edited By: | Updated on: Feb 16, 2022 | 5:43 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાની(Corona)  ત્રીજી લહેર ધીરે ધીરે અંત તરફ જઇ રહી છે. જેમાં 15 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ(Ahmedabad)  શહેરમાં 366 કેસ સામે આવ્યા અને 2 દર્દીઓનાં મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 211 નવા કેસ નોંધાયા અને 5 દર્દીઓના મૃત્યુ થયા છે.સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 73 નવા મામલા સામે આવ્યા અને 3 લોકોનાં નિધન થયા છે.રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 46 નવા કેસ મળ્યા અને એક વ્યક્તિનું નિધન થયું.ગાંધીનગરમાં 36 નવા દર્દી અને એકનું મોત થયું તો મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાથી એક-એક દર્દીનું નિપજ્યું છે.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 16 લોકોનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,838 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 2,454 દર્દી સાજા થયાં છે…અત્યાર સુધીમાં 11 લાખ 95 હજાર 295 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11 હજાર 995 એક્ટિવ કેસ છે, જેમાંથી 77 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11 હજાર 118 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરશે કે નહીં, તેના પર આશીષ નહેરાએ આપ્યું નિવેદન

આ પણ વાંચો :  ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને લઇને કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ, આંદોલનની ચીમકી

Published On - 7:25 pm, Tue, 15 February 22