રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 63 હજાર એકત્રીસ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેની સામે કોરોનાના નવા કેસ પણ થોડા વધ્યા. 24 કલાકમાં 1145 નવા દર્દીઓ નોંધાયા અને 17 દર્દીઓના મૃત્યુ નિપજ્યાં.
1120 દર્દીઓ એક જ દિવસમાં કોરોના સામેનો જંગ જીતીને સ્વસ્થ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 82 હજાર 87 પર પહોંચી છે જ્યારે મૃત્યુઆંક 2 હજાર 839 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ 1120 દર્દીઓ સાજા થયા આ સાથે જ અત્યાર સુધીમાં 64 હજાર 8300 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં હાલ 14418 કેસ એક્ટિવ છે જેમાં 81 દર્દી વેન્ટિલેટર પર તો 14 હજાર 337 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 78.95 ટકા થઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો