Gujarat Budget 2021: રાજ્ય સરકારે નાણાકીય બજેટ રજૂ કર્યું, તેમાં કૃષિ વિભાગમાં 191 કરોડ જેટલી ઓછી ફાળવણી થતાં ખેડૂતોમાં આક્રોશ છે. બનાસકાંઠાના ખેડૂતોનું કહેવું છે કે જે પ્રકારે બિયારણ ખાતર અને ડીઝલના ભાવ વધ્યા છે. તેની સામે હવે જ્યારે સરકાર ખેડૂતોને મળતા લાભો પૈકીની નાણાકીય સહાય છે, તે પણ ઓછી કરી રહી છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. સરકારે ખેડૂતોનું બજેટ ઘટાડવાની જગ્યાએ તેમાં વધારો કરવો જોઈએ. જેના કારણે જગતનો તાત વધુ મજબૂત બની શકે.
આ પણ વાંચો: બ્રિટનમાં બીબીસીના લાઇવ રેડિયો કાર્યક્રમમાં કોલરે પીએમ મોદીના માતાને કહ્યાં અપશબ્દો, લોકોમાં આક્રોશ