
આજના આ અન્નકુટ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના પ્રચલિત ભાતભાતના વ્યંજન સહીત કુલ 625 વાનગી ભાવપૂર્વક ભગવાન સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા અને મહંત સ્વામી મહારાજને ધરાવવામાં આવી હતી.

અન્નકુટ મહોત્સવમાં ધરાવવામાં આવેલ 625 વાનગીમાં 25 જાતના ફરસાણનો સમાવેશ કરાયો હતો. તો 25 પ્રકારની વિવિધ મીઠાઈ પણ ભગવાનના ચરણે ધરાવાઈ હતી. આ ઉપરાંત 25 જાતના શાક, અથાણાં પણ ધરાવવામાં આવ્યા હતા.

અન્નકુટમાં ધરાવેલ વાનગીઓમાંથી વિવિધ 20 પ્રકારની વાનગીઓ, સેટેલાઇટ વિસ્તારના હરિભક્તોએ પોતાના ઘરે તૈયાર કરી અને વહેલી સવારે મંદિરમાં અર્પણ કરી.

સેટેલાઇટ BAPS સ્વામિનારાયણ મંદિરના રજતજયંતિ ઉત્સવ નિમિત્તે ભક્તોએ ભગવાનના ચરણે ભક્તિ અદા કરી. વર્ષ 2001મા પ્રમુખ સ્વામી મહારાજે, સેટેલાઇટ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. વર્ષ 2026માં આ મંદિરનો ભવ્ય રજતજયંતિ ઉત્સવ ઉજવાશે.