મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન કરતાં કહ્યું કે પાક વીમા મુદ્દે વીમા કંપનીઓ પર દબાણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે એક જાહેર કાર્યક્રમમાં વીમા કંપનીઓ સામે લાલ આંખ કરતા આ નિવેદન કર્યું છે. જો કે તેઓએ RTGSના નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ જાહેરાત કરી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે પાક વીમો ચૂક્વવામાં વીમા કંપનીઓ આનાકાની કરશે તો આવી વીમા કંપનીઓ સામે કડક પગલાં પણ લેવાઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના મુખ્યપ્રધાન પહેલા ભાજપ સાંસદ પરબત પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ખેડૂતોની વ્હારે આવી ચૂક્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ નિવેદનો બાદ વીમા કંપનીઓ ખેડૂતોને ક્યારે સહાય ચૂકવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો