અમદાવાદખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાનાર છે. ત્યારે આ બિઝનેસ સમિટ પહેલા મહેસાણા ખાતે પ્રમોશનલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે નીતિન પટેલે રૂપિયા 51 લાખનું દાન નોંધાવી સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી તરીકે નિમણૂક મેળવી હતી.
આ પણ વાંચો: પરિશ્રમની ‘પુન: પરીક્ષા’: વર્ગ-3ની ભરતી માટે 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ VIDEO
આ ઉપરાંત રૂપિયા 51-51 લાખ નોંધાવી 4 સ્થાપક ટ્રસ્ટી બનાવામાં આવ્યા હતા. તો સાથે જ 25-25 લાખ રૂપિયા નોંધાવી 6 જેટલા ગૌરવવંતા ટ્રસ્ટીના નામની જાહેરાત કરાઇ હતી. આમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટને સફળ બનાવવા માટે અત્યારથી જ સરદાર ધામના ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે હાજર રહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો