AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે.

ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો
ઉના પંથકમાં દીપડાનો આતંક (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:53 PM
Share

ઊના પંથકમા દીપડાની દહેશત વધી ગઇ છે.ગઈકાલે સનખડા ગામે 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તો આજે ઉનાના ભડીયાદર ગામે માતાના હાથમાંથી 4 વર્ષની બાળા પર દીપડાએ તરાપ મારી હુમલો કર્યો હતો, આ હુમલામાં માતા પુત્રી બંન્ને ઘાયલ, હાલ ઉનાની લાઈફકેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ઉનામાં દીપડાના હુમલાના 48 કલાકમાં 2 બનાવો નોંધાયા

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે. ત્યારે ઉનાના ભડીયાદર ગામે રહેતા દેવસીભાઈ સાદુરભાઈ નામના ખેડૂત વાડી વિસ્તારમાં રહે છે, અને ખેતીકામ કરે છે. ગત સાંજે શાર્દુલભાઈના પત્ની લક્ષ્મીબેન પોતાની 4 વર્ષની દીકરી પાયલને તેડી કુંડી પર હાથ ધોવા જતા હતા. તે સમયે અચાનક કપાસ ખેતરમાંથી દીપડો આવી ઝપટ બોલાવી. દીપડાએ લક્ષ્મી બેનના હાથમાંથી તેની 4 વર્ષની દીકરીને છીનવી ફરાર થયો હતો. જોકે લક્ષ્મી બેન અને અન્ય ઘરના સદસ્યો બુમાબુમ કરી દીપડાનો પીછો કરતા દીપડો કપાસના ખેતરમાં દૂર બાળાને મૂકી ફરાર થયો હતો.

ગામની સીમમાં 4 ખુંખાર દીપડાઓ હોવાનું સરપંચનું નિવેદન

જોકે દીપડાના હુમલામાં માતા અને બાળાને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ ઉનાની લાઈફ કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભડીયાદર ગામના સરપંચનું કહેવું છે કે ભડીયાદર ગામની સીમમાં 3 થી 4 ખુંખાર દીપડાઓ રહેઠાણ કરી રહ્યા છે, દીપડાઓ અને હુમલાની જાણ ફોરેસ્ટને કરવામાં આવી છે. અને જસાધાર વન વિભાગે એક દીપડાને પાંજરે પૂર્યો છે. જોકે હજુ 2 થી 3 દીપડાઓ સીમમાં દેહસ્ત મચાવી રહ્યા છે. જેને ઝડપી પાડવામાં આવે. જોકે દીપડાને પકડવા અન્ય 2 પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. ત્યારે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે તમામ દીપડાઓને તત્કાળ ધોરણે ઝડપી પાડવામાં આવે.

હાલ ગુજરાતમાં જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ વનવિભાગ માત્ર પાંજરા મુકીને સંતોષ માને છે. પરંતુ, ખુંખાર દીપડાઓને કારણે માનવોના જીવ પણ જઇ રહ્યાં છે. પરંતુ, આ સમસ્યાનો જોઇએ તેવો ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો : Naukari News: એકાઉન્ટન્ટ ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

Follow Us
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">