AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે.

ગીર સોમનાથ : ઉના પંથકમાં દીપડાનો આતંક, 48 કલાકમાં બે બાળકો પર હુમલો
ઉના પંથકમાં દીપડાનો આતંક (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:53 PM
Share

ઊના પંથકમા દીપડાની દહેશત વધી ગઇ છે.ગઈકાલે સનખડા ગામે 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તો આજે ઉનાના ભડીયાદર ગામે માતાના હાથમાંથી 4 વર્ષની બાળા પર દીપડાએ તરાપ મારી હુમલો કર્યો હતો, આ હુમલામાં માતા પુત્રી બંન્ને ઘાયલ, હાલ ઉનાની લાઈફકેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

ઉનામાં દીપડાના હુમલાના 48 કલાકમાં 2 બનાવો નોંધાયા

ગીર સોમનાથના ઉનામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. અને છેલ્લા 2 દિવસમાં બે ઉના તાલુકાના બે ગામોમાં દીપડાએ બાળકો પર હુમલો કર્યો છે. ત્યારે ઉનાના ભડીયાદર ગામે રહેતા દેવસીભાઈ સાદુરભાઈ નામના ખેડૂત વાડી વિસ્તારમાં રહે છે, અને ખેતીકામ કરે છે. ગત સાંજે શાર્દુલભાઈના પત્ની લક્ષ્મીબેન પોતાની 4 વર્ષની દીકરી પાયલને તેડી કુંડી પર હાથ ધોવા જતા હતા. તે સમયે અચાનક કપાસ ખેતરમાંથી દીપડો આવી ઝપટ બોલાવી. દીપડાએ લક્ષ્મી બેનના હાથમાંથી તેની 4 વર્ષની દીકરીને છીનવી ફરાર થયો હતો. જોકે લક્ષ્મી બેન અને અન્ય ઘરના સદસ્યો બુમાબુમ કરી દીપડાનો પીછો કરતા દીપડો કપાસના ખેતરમાં દૂર બાળાને મૂકી ફરાર થયો હતો.

ગામની સીમમાં 4 ખુંખાર દીપડાઓ હોવાનું સરપંચનું નિવેદન

જોકે દીપડાના હુમલામાં માતા અને બાળાને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ ઉનાની લાઈફ કેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભડીયાદર ગામના સરપંચનું કહેવું છે કે ભડીયાદર ગામની સીમમાં 3 થી 4 ખુંખાર દીપડાઓ રહેઠાણ કરી રહ્યા છે, દીપડાઓ અને હુમલાની જાણ ફોરેસ્ટને કરવામાં આવી છે. અને જસાધાર વન વિભાગે એક દીપડાને પાંજરે પૂર્યો છે. જોકે હજુ 2 થી 3 દીપડાઓ સીમમાં દેહસ્ત મચાવી રહ્યા છે. જેને ઝડપી પાડવામાં આવે. જોકે દીપડાને પકડવા અન્ય 2 પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે. ત્યારે ગામ લોકો માંગ કરી રહ્યા છે કે તમામ દીપડાઓને તત્કાળ ધોરણે ઝડપી પાડવામાં આવે.

હાલ ગુજરાતમાં જંગલ વિસ્તાર આસપાસના ગામડાઓમાં દીપડાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ વનવિભાગ માત્ર પાંજરા મુકીને સંતોષ માને છે. પરંતુ, ખુંખાર દીપડાઓને કારણે માનવોના જીવ પણ જઇ રહ્યાં છે. પરંતુ, આ સમસ્યાનો જોઇએ તેવો ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો : Naukari News: એકાઉન્ટન્ટ ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">