સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. આજથી ગીર અભ્યારણ્યના દ્વાર સહેલાણીઓ માટે ખોલવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્યના દ્વાર ખુલતા 4 મહિના બાદ હવે પ્રકૃતિ પ્રેમીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે. ગીર જંગલના દ્વાર ખુલતાની સાથે જ આજે વહેલી પરોઢથી સિંહ દર્શન માટે પ્રવાસીઓની લાંબી કતારો લાગી ગઈ છે.
આ પણ વાંચો: ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ
વરસાદ બાદ નવી તાજગી સાથે લીલીછમ હરિયાળી વચ્ચે સહેલાણીઓ સિંહદર્શનનો લ્હાવો લઈ શકશે. જંગલમાં નદી-નાળા ઝરણાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે સોળે કળાએ ખીલી ઉઠેલા જંગલ સાથે સિંહ દર્શન કરવાનો આ ઉત્તમ સમય છે. મહત્વનું છે કે 16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જે 4 મહિના બાદ ફરી ખુલ્લુ મુકાયું છે. ગીરના જંગલમાં એપ્રિલ 2015માં થયેલી છેલ્લી ગણતરી મુજબ 523 સિંહો છે. ત્યારે દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો સિંહ દર્શન કરવા માટે ઉમટી પડે તેવી આશા વન વિભાગને છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:49 am, Wed, 16 October 19