10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરાશે, ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોડાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે. વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિર્સજન માટે અનોખો કુંડ બનાવામાં આવ્યો છે. આ કુંડમાં જ પ્રતિમાનું વિર્સજન કરવામાં આવશે અને વિર્સજન બાદ માટી ઓટોમેટિક મશીનથી બહાર ઠલવાશે. જેને સોસાયટીના રહીશોમાં વહેચાશે અને તેનો ઉપયોગ ફુલછોડના કુંડા માટે કરી શકાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO