કલોલના રામનગરમાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરી ઝડપાઈ, ખેડૂતો-અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
ગાંધીનગરમાં કલોલના રામનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીની ચોરી રોકવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. નર્મદા વિભાગના અધિકારીઓની પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને પોલીસ દ્વારા પાણીની ચોરવા માટે મૂકાયેલા મશીન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તંત્રની […]
ગાંધીનગરમાં કલોલના રામનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાણીની ચોરી રોકવા આવેલા નર્મદા વિભાગના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. નર્મદા વિભાગના અધિકારીઓની પોલીસ ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને પોલીસ દ્વારા પાણીની ચોરવા માટે મૂકાયેલા મશીન હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તંત્રની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને 100 ખેડૂતો એકઠા થઇ ગયા. સમગ્ર મામલાને કાબૂમાં લેવા માટે પીઆઈ , ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.