Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી માહિતી

|

Jul 20, 2022 | 10:37 PM

Gujarat monsoon: રાજ્યમાં આગામી 22- 23 જૂલાઈ દરમિયાન સુરત નવસારી ડાંગ તેમજ તાપીમાં અને 24- 25 જૂલાઈ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવવામાં આવ્યું છે.

Gujarat Monsoon: ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સાબદું, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી માહિતી
Heavy rain in panchmahal

Follow us on

રાજ્યમાં આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની (Heavy Rain In Gujarat) આગાહી કરવામાં આવે છે, ત્યારે આગામી તારીખ 22 અને 23 જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી તો તારીખ 23 અને 24 જૂલાઈ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી તો તારીખ 24 અને 25 જૂલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ (Dev Bhoomi Dwarka) દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ભારે વરસાદની પરિસ્થિતિમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરઓ અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.

 

  1.  તારીખ 22 અને 23 જુલાઈ  સુરત, નવસારી, ડાંગ,વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી
  2. તારીખ 23 અને 24 જૂલાઈ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી
  3. શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
    આજનું રાશિફળ તારીખ : 05-05-2024
    આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
    મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
    20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
    ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
  4. તારીખ 24 અને 25 જૂલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ

 

સ્થળાંતર કરાયેલ તમામ નાગરિકો સ્વગૃહે પરત

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહેલા તમામ નાગરીકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં 74,232 નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી 1,566 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 56 ટકા જળરાશિનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ,વલસાડ અને પંચમહાલમાં 1-1 નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 14, 641 પૈકી માત્ર 55 નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.

Published On - 9:37 pm, Wed, 20 July 22

Next Article