ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચ્યો

|

Jul 16, 2021 | 8:51 AM

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

ગુજરાત(Gujarat) માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) ના 36 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે અને 90 દર્દીઓ સાજા થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કુલ 8,13,673 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. કોરોનાના નિયંત્રણ માટે સરકાર દ્વારા હાલ રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ગુરુવારે 3,86,712 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો : Encounter: શ્રીનગરમાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર, હજુ પણ ઓપરેશન યથાવત

આ પણ વાંચો : Tokyo Olympics 2020 માં આ વખતે ખેલાડીઓને નહી પહેરાવામાં આવે મેડલ, કોરોના સંક્રમણને જોતા લેવાયો નિર્ણય

Published On - 8:47 am, Fri, 16 July 21

Next Video