
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યમાં ગેસ અને ઇંધણની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જે આખરે પૂર્ણ થઈ. આ બેઠકમાં રાજ્યમાં ગેસના પુરવઠા અને ઇંધણની વર્તમાન પરિસ્થિતિનો મુખ્યમંત્રી દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીએ લાંબા ગાળાના આયોજન માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે. આ સાથે જ, કેન્દ્રીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને ઊર્જા ક્ષેત્રે આગોતરું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પુરવઠા પ્રધાન રમણ સોલંકી, મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને અન્ન અને પુરવઠા વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ બેઠકમાં એક સ્પષ્ટ અને મહત્વપૂર્ણ સૂચના આપી છે. તેમણે આદેશ કર્યો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે પાઇપલાઇન અને ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે, તેવા વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ જો જરૂરિયાત મુજબ નવા PNG કનેક્શનની માંગણી કરે તો તેમને તાત્કાલિક ધોરણે કનેક્શન આપી દેવામાં આવે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવાનો છે.
રિપોર્ટ મુજબ, સવારથી એવી માહિતી મળી રહી હતી કે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા અનાજ માટેની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી હતી, જે સંભવિત કટોકટીની પરિસ્થિતિ તરફ ઇશારો કરતી હતી. આવા સંજોગોમાં, જો આ પરિસ્થિતિ એક સપ્તાહ સુધી ચાલુ રહે, તો મોટી કટોકટી સર્જાઈ શકે છે. આથી, જરૂરિયાત મુજબ PNG આપવાની અને નવા કનેક્શન આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
અધિકારીઓ દ્વારા વારંવાર એવી ખાતરી આપવામાં આવી છે કે ગુજરાતમાં ગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ચિંતા કરવાની જરૂર નથી. જોકે, આ વાત એવી પરિસ્થિતિમાં સામે આવી છે જ્યાં લોકો ગેસના બાટલા માટે કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા જોવા મળે છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સ્થિતિને થાળે પાડવાનો અને ભવિષ્ય માટે સુદ્રઢ આયોજન કરવાનો જણાય છે.
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી