Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો

|

Jul 03, 2023 | 6:02 PM

Gandhinagar: ગુજરાતમાં જળાશયોની સ્થિતિ સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 206 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો છે. રાજ્યના 19 જળાશયો સંપૂર્ણ છલકાયા છે જ્યારે 29 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા છે.

Gandhinagar : રાજ્યના 208 જળાશયોમાં 38 ટકાથી વધુ પાણીનો થયો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 55 ટકાથી વધુ ભરાયો
સરદાર સરોવર ડેમ

Follow us on

Gandhinagar: ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં 3 જૂલાઈએ સવારે 8 કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં, પાણીના કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

સરદાર સરોવરમાં 55.17 ટકા પાણીનો સંગ્રહ

સરદાર સરોવર ડેમમાં 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.

અમરેલીનો ધાતરવડી,  ગીરસોમનાથનું મચ્છુન્દ્રી જુનાગઢનું ઉબેણ  અને રાજકોટનો મોજ ડેમ 100 ટકા ભરાયા

રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટી, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે તેમ, અહેવાલમાં જણાવાયું છે.

કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?
આજનું રાશિફળ તારીખ : 21-09-2024
તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?

આ પણ વાંચો : Gandhinagar: જોખમી ઔદ્યોગિક કચરા સામે પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ

રાજ્યના 15 જળાશયોમાં 48.72 ટકા પાણીનો જથ્થો

આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 43,076 કયુસેક, દમણગંગામાં 6,782 અને હિરણ-2માં 5,199 કયુસેક પાણીનો સમાવેશ થાય છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં વધુમાં જણાવાયું છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article