
Gujarat: રાજ્યમાં માર્ગ મકાન વિભાગમાં નબળી કામગીરી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. માર્ગ-મકાન વિભાગની કામગીરી વધુ અસરકારક- સમયબદ્ધ તથા ગુણવત્તાયુક્ત બનાવવા શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયા છે. વિવિધ કામોના મોનિટરીંગને અસરકારક કરવા સુપરવિઝન એટ્લે કે દેખરેખ માટે વરિષ્ઠ અધિકારીઓના કાર્યક્ષેત્રની વધુ યોગ્ય વહેંચણી (રેશનલાઈઝેશન ઓફ રિજીયન) કરવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો : રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તાને લઈ સરકાર એક્શનમાં, માર્ગ મકાન વિભાગના સચિવ એસ.બી વસાવાને વિભાગમાંથી હટાવાયા
મહત્વની વાત એ છે કે ગત રોજ માર્ગ અને મકાન વિભાગના સચિવની પણ બદલી કરાઈ હતી. રાજ્યમાં રસ્તાની ખરાબ સ્થિતિ અને પુલ ગુણવત્તા ને લઈ સરકાર એક્શનમોડમાં આવી છે. માર્ગ મકાન વિભાગના સચિવને વિભાગ માંથી હટાવાયા હતા. લાંબા સમયથી એસ.બી વસાવા હતા આર એન બી સચિવ. જેમને હવે માર્ગ મકાન વિભગા માથી ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર બનાવાયા છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો