ગાંધીનગરઃ પેપર લીક મુદ્દે AAPના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ, નેતાઓની અટકાયત

તો બીજીતરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર, પ્રશાસન કે ભાજપને જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીના કહેવાતા બધા જ નેતાઓ તેમના ગુંડાતત્વો સાથે કમલમમાં આવી પહોંચ્યા અને મિલકતને નુક્સાન કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 2:59 PM

પેપર લીક કેસમાં હવે રાજકીય રંગ પકડાઈ ચૂક્યો છે.. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આજે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. સ્થિતિ ત્યાં સુધી વણસી કે પોલીસ લાઠીચાર્જ ઉપર ઉતરી આવી. પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી છે. જેમાં ઘણા કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ છે કે પેપર લીક કેસમાં ભાજપના નેતાઓના નામ આવ્યા છે. તેમ છતાં કોઈને સજા ન થાય, નાની માછલીઓ પકડાય અને અસિત વોરા જેવા મોટા નેતા બિન્દાસ્ત ફરે છે. ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કર્યો કે તેઓ ભ્રષ્ટાચારના મૂળ કેન્દ્ર કમલમ ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. પણ ભાજપના ગુંડાઓએ તેમની સાથે અને મહિલા કાર્યકરો સાથે ગેરવર્તન કર્યું હોવાનો ઈટાલિયાનો આક્ષેપ છે.

તો બીજી તરફ ભાજપના નેતાઓનું કહેવું છે કે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર, પ્રશાસન કે ભાજપને જાણ કર્યા વિના આમ આદમી પાર્ટીના કહેવાતા બધા જ નેતાઓ તેમના ગુંડાતત્વો સાથે કમલમમાં આવી પહોંચ્યા અને મિલકતને નુક્સાન કર્યું. ભાજપના નેતા ઋત્વિજ પટેલે આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના ગુંડાતત્વોએ ભાજપના કાર્યકરો સાથે મારામારી કરી છે.. આમ આદમી પાર્ટીએ અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે.. ઋત્વિજ પટેલે કહ્યું કે તેઓ અને તેમના કાર્યકરો કાયદો હાથમાં લેવા ન માગતા હોવાથી પોલીસને જાણ કરી હતી અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">