ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો કોંગ્રેસનો દાવો

|

Oct 03, 2021 | 11:45 AM

ગાંધીનગર મહાનગરપાલિકાની કોંગ્રેસ નેતા નિશિથ વ્યાસે જણાવ્યું હતું કે પાટનગરની જનતા ભાજપના શાસનથી ત્રાસી છે અને આ વખતે કોંગ્રેસના ઉમેદવારને મત આપીને તેમને વિજયી બનાવશે.

ગુજરાતની(Gujarat)ગાંધીનગર મહાનગર પાલિકાની(Gandhinagar)ચૂંટણી(Election)માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ આ વખતે 40 બેઠકો પર ઝંપલાવ્યું છે. જેમાં ભાજપની સાથે સાથે હવે કોંગ્રેસે પણ આ ઇલેક્શન જીતવાનો દાવો કર્યો છે.

આ અંગે કોંગ્રેસ નેતા નિશિથ વ્યાસે જણાવ્યું હતું કે પાટનગરની જનતા ભાજપના શાસનથી ત્રાસી છે અને આ વખતે કોંગ્રેસના ઉમેદવારને મત આપીને તેમને વિજયી બનાવશે. તેમજ કોંગ્રેસ કાયમ ગાંધીનગરના બેલ્ટ પણ જીતવી આવી છે.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.

આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.

જ્યારે સેક્ટર 3માં વોર્ડ નં 9 મા વહેલી સવરથી સારુ મતદાન થઈ રહ્યું છે. જેમાં પ્રથમ દોઢ કલાકમા 20 ટકા મતદાન થયું હતું. તેમજ સરકારી દવાખાનાના મતબુથ પર મતદારોની ભીડ જોવા મળી હતી.

આ ઉપરાંત સેક્ટર 6 સરકારી શાળા મતદાન મથક પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં સિનિયર સીટીઝન માટે વ્હીલચેરની સુવિધા ન હતી. 86 વર્ષના મતદાર મતદાન કરવા આવ્યા પણ વ્હીલચેર ના મળી જેના પગલે મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. વ્હીલચેર ન હોવાને કારણે 86 વર્ષના બા મતદાન કરવા ન જઇ શક્યા.તેમને કમરમાં તકલીફ અને કેન્સરનું ઓપરેશન કર્યું હોવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા.

આ પણ વાંચો : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પીએમ મોદીના માતા હીરા બા એ મતદાન કર્યું

આ પણ વાંચો : બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વકર્યો, નગર સેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

 

 

Next Video