ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, કોરોનાના નવા 104 કેસ નોંધાયા અને 3ના મોત

|

Sep 12, 2022 | 8:48 PM

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. આજે કોરોનાના 104 કેસ નોંધાયા છે. જેના કારણે કોરોનાના એક્ટિવ કેસ 1291 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, કોરોનાના નવા 104 કેસ નોંધાયા અને 3ના મોત
Gujarat Corona Update
Image Credit source: TV9 gfx

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે કોરોનાના 104 કેસ નોંધાયા છે. જેના કારણે કોરોનાના એક્ટિવ કેસ 1,291 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 153 દર્દીઓ સાજા થયા છે. જેમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 45, અમદાવાદમાં 20, ગાંધીનગરમાં 6, વડોદરામાં 6, સુરત જિલ્લામાં 5, ગાંધીનગર જિલ્લામાં 4, રાજકોટ જિલ્લામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2 , રાજકોટમાં 3, ભરુચમાં 1, જામનગરમાં 1, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1, તાપીમાં 1, વડોદરા જિલ્લામાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. કોરાનાના કારણે આજે 3 દર્દીના મોત થયા છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.

Next Article