Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી

|

Feb 04, 2022 | 11:50 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી
Gujarat CM Bhupendra Patel (File Image)

Follow us on

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  દ્વારા 4 મહાનગરોના વિકાસ (Development) માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. અમદાવાદ, સુરત, જામનગર અને વડોદરામાં અલગ અલગ ક્ષેત્રે વિકાસ કરવા માટે રૂપિયા 253 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ માટે રૂપિયા 110  કરોડ, સુરતમાં ફલાયઓવર માટે રૂ. 70  કરોડ, વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી કામો માટે રૂ. 63.53 કરોડ અને જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. 9.16  કરોડની ફાળવણી કરી છે…અમદાવાદ માટે ફાળવાયેલા રૂપિયા મહાનગરપાલિકાના આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે..જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ વગેરેના કામ કરાશે.તો વડોદરામાં સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, ફ્લાઈઓવર બ્રિજ જેવા કાર્યો માટે રકમની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને  253  કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81  જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવવા શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને ૧૧૨૯ કામો માટે 63. 53  કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9  રસ્તાના કામો માટે 9.16કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. 250  કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર

આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય

Next Article