ગુજરાતમાં આજે કોરોનાના નવા 606 કેસ અને 01 મૃત્યુ, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 6413

|

Aug 01, 2022 | 7:44 PM

ગુજરાતમાં કોરોનાના (Corona) આજે 1 ઓગસ્ટના રોજ નવા 606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6413 એ પહોંચી છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 606 કેસ અને 01 મૃત્યુ, રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 6413
Gujarat corona update
Image Credit source: tv9 gfx

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) રોંજીદા કેસમાં ઘટાડો થયો છે. જેમાં આજે 01 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 606 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6413 એ પહોંચી છે. જયારે કોરોના રિકવરી રેટ 98.62 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 729 દર્દીઓ સાજા થયા છે. આજે અમદાવાદમાં 172, વડોદરામાં 48, મહેસાણામાં 75, બનાસકાંઠામાં 03, સુરતમાં 38, વડોદરા જિલ્લામાં 25, સુરત જિલ્લામાંમાં 39, રાજકોટમાં 19, ગાંધીનગર જિલ્લામાં 27, અમરેલીમાં 05, ગાંધીનગરમાં 13, રાજકોટ જિલ્લામાં 06, ભાવનગરમાં 11, નવસારીમાં 05, આણંદમાં 04, પાટણમાં 10,સાબરકાંઠામાં 08, ભરૂચમાં 04, પોરબંદરમાં 04, જામનગરમાં 02, અમદાવાદ જિલ્લામાં 04, કચ્છમાં 16, મોરબીમાં 13, વલસાડમાં 12, ગીર સોમનાથમાં 04, સુરેન્દ્રનગરમાં 08, ખેડામાં 03, પંચમહાલમાં 02, દ્વારકામાં 01, તાપીમાં 07, ભાવનગરમાં 01, જામનગરમાં 02 અને મહીસાગરમાં 04 કેસ નોંધાયો છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે

જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઇ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઇ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.

Next Article