Gandhinagar : આમ કેમ ભણશે ગુજરાત ? શિક્ષણપ્રધાનની વિધાનસભામાં કબૂલાત

|

Mar 30, 2021 | 2:36 PM

Gandhinagar : રાજય સરકાર દ્વારા શિક્ષણને લઇને મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે. તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે.

Gandhinagar : આમ કેમ ભણશે ગુજરાત ? શિક્ષણપ્રધાનની વિધાનસભામાં કબૂલાત
ફાઇલ તસ્વીર

Follow us on

Gandhinagar : રાજય સરકાર દ્વારા શિક્ષણને લઇને મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે. તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે. રાજયમાં કેટલીય એવી શાળાઓ છેકે જયાં લાયકાત અને તાલિમ વગરના શિક્ષકો બાળકોને ભણાવી રહ્યાં છે. આ વાતનો સ્વીકાર ખુદ રાજયના શિક્ષણ પ્રધાને કર્યો છે.

કયાં કેટલા શિક્ષકો લાયકાત વગરના ?

અમદાવાદમાં 2967, અમરેલીમાં 319, ગાંધીનગરમાં 148, રાજકોટમાં 588 લાયકાત વિનાના શિક્ષકો હોવાનું સરકારે જણાવ્યું છે. જ્યારે બનાસકાંઠામાં 443 અને પાટણમાં 45 લાયકાત વિનાના શિક્ષકો હોવાની પણ સરકારે કબૂલાત આપી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગુજરાત રાજયમાં શિક્ષણનું ધીરેધીરે વ્યાપારીકરણ થઇ રહ્યું છે. જેથી રાજયમાં શિક્ષણનું સ્તર ધીરેધીરે કથળી રહ્યું છે. તેમાં કોઇ બેમત નથી. ત્યારે વિધાનસભામાં શિક્ષણમંત્રીએ આપેલી લેખિત માહિતીમાંથી કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં બહાર આવ્યું છે કે રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર સહિતના 6 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના અને તાલીમ વિનાના 4510 શિક્ષકો છે. આ વાતની ખુદ શિક્ષણપ્રધાને કબૂલાત કરી છે. એક બાજુ, તાલીમ અને લાયકાત ધરાવતા શિક્ષકો બેકાર છે. અને બીજી બાજુ, અણઘડ શિક્ષકો બાળકોને ભણાવી રહ્યા છે. જે એક કડવી વાસ્તવિક્તા છે.

ગુજરાતના 6 જિલ્લામાં 4,510 શિક્ષકો લાયકાત વગરના છે

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન congressના ધારાસભ્યોએ આ મામલે પ્રશ્નો કર્યા હતા. જેમાં શિક્ષણમાં ચાલતી લોલમલોલને ઉઘાડી પાડવા પ્રશ્ન પૂછ્યા હતા કે સરકારે ઠરાવેલી શૈક્ષણિક લાયકાત અને નિયત તાલીમ વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે કે કેમ? આ પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ કબૂલ્યું હતું કે gujaratના 6 જિલ્લામાં 4510 શિક્ષકો લાયકાત વગરના છે.

સૌથી વધુ Ahmedabad જિલ્લામાં 2967 શિક્ષકો લાયકાત વગરના છે

પ્રાથમિક શાળાઓમાં લાયકાત અને તાલીમ વગરના શિક્ષકો અંગે શિક્ષણમંત્રીએ આપેલા જવાબમાં કહ્યું હતું કે ahmedabadમાં 2967, gandhinagarમાં 148, patanમાં 45, amreliમાં 319, banaskathaમાં 443 અને rajkotમાં 588 લાયકાત વિનાના પ્રાથમિક શિક્ષકો કામ કરી રહ્યા છે.

આ મામલે શાળાઓને નોટિસ આપવા જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના અપાઇ

આવા લાયકાત વિનાના શિક્ષકોની ભરતી અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે RTE 2009 અમલમાં આવ્યા પહેલાં ધોરણ 1થી 7ની પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે ptcની લાયકાત ગણવામાં આવતી હતી, rte એકટ અમલમાં આવ્યા બાદ ધોરણ 1થી 5 માટે ptc સમકક્ષ અને ધોરણ 6થી 8 માટે તાલીમી સ્નાતક કક્ષાની લાયકાત નક્કી કરવામાં આવેલી છે. એટલું જ નહીં, આ ઉપરાંત તાલીમી શિક્ષકો ના મળવાને કારણે આવા શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકોને દૂર કરવા અંગે જે-તે શાળાઓને નોટિસ આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે.

Next Article