Jayanti Ravi ને કોરોના કાળમાં ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકેની સફળતાપૂર્વક કામગીરી કરવાનું કદાચ ફળ મળી રહ્યું છે. જયંતિ રવિની પુડુચેરીના મુખ્ય સચિવ તરીકે બઢતી કરાય તેવી શક્યતા છે. પુડુચેરીમાં આગામી મહિના વિધાનસભા ચૂંટણી આવી રહી છે, તે પૂર્વે તેમને પુડુચેરીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાય તેવી શક્યતા છે. આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાય તેવી શક્યતા છે.