રાજ્યના વિકાસ કમિશનરે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આગામી 15 દિવસમાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનોમાં ફિટ કરેલા AC દૂર કરવા આદેશ આપ્યો છે. માત્ર એટલું જ નહીં, આ સગવડો જો સરકારી ખર્ચે નાંખવામાં આવી હોય તો આ વ્યર્થ ખર્ચ માટે સંબંધિત અધિકારીઓ પાસેથી નાણાં વસૂલવા માટે પણ સૂચના આપી છે.
આ પણ વાંચોઃ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો
આ પ્રકારની સગવડો પાછળના વધારાના વીજ બિલ, પેટ્રોલ-ડીઝલના ખર્ચનો અંદાજ કાઢી જેમણે પણ આ સગવડો જેટલો ભોગવી હોય એટલા સમય માટેના ખર્ચની વસૂલાત કરવાની રહેશે. તેની સાથે સાથે 31 જાન્યુઆરી 2020 સુધીમાં તમામ ચેમ્બર્સ અને વાહનોમાંથી એ.સી. દૂર કરવાની કામગીરીનું પ્રમાણપત્ર પણ મોકલી આપવું પડશે. તેમજ કયા અધિકારીની ચેમ્બર અને વાહનમાંથી એ.સી. દૂર કરવામાં આવ્યા છે તેની વિગતો પણ એક પત્રકમાં મોકલી આપવાની રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:23 pm, Mon, 6 January 20