Gandhinagar : પાટીદાર સમાજની ચિંતન બેઠક, અનામતનો લાભ આપવા મુદ્દે ચર્ચા થઇ

|

Oct 04, 2021 | 3:48 PM

ગાંધીનગરના સરગાસણ ખાતે આજે પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી છે.. આ બેઠક PAASની આગેવાનીમાં મળી છે. જેમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા સહિતના મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ છે.

ગાંધીનગરના સરગાસણ ખાતે આજે પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી છે.. આ બેઠક PAASની આગેવાનીમાં મળી છે. જેમાં પાટીદારોને ઓબીસીમાં સમાવવા સહિતના મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ છે. બેઠકના એજન્ડામાં પાટીદાર સમાજની અનામતની માગણીના અનુસંધાને સર્વે કરાવા બાબત, આંદોલનમાં મૃત્યું પામનારના પરિવારજનોને નોકરી આપવાની માગણીનો ઉકેલ લાવવા બાબત, પાટીદાર અનામત આંદોલન દરમિયાન યુવાનો પરના પોલીસ કેસ પાછા ખેંચવાની રજૂઆત, બિન-અનામત વર્ગમાં પડતી મુશ્કેલીઓ બાબતે, મહિલા અનામત બાબત અને ગામ, તાલુકા તેમજ જિલ્લા લેવલ સુધી સામાજિક સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે- સરકારે હજુ સુધી અમારા યુવાનો પરના કેસ પાછા ખેંચ્યા નથી.

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ સમગ્ર દેશમાં વસતા પાટીદારોને બિન અનામત વર્ગમાં 10 ટકા ઈ ડબલ્યુ એસનો લાભ મળતો થયો છે. પરંતુ અનેક માંગણીઓ નહીં સંતોષાતા આગામી તા. 4 ને સોમવારે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું.પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથીરીયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિન અનામત વર્ગને 10 ટકા ઈ.ડબલ્યુ.એસ નો લાભ મળતો થયો ત્યારે 2017 થી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલ તે મુજબ પડતર માંગણીઓ બાબતે મીટીંગનું આયોજન કરેલ છે.

 

આ પણ વાંચો :  Gandhinagar : ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 ભરતી કરાશે : ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો  : SURAT : નવરાત્રિના થનગનાટ વચ્ચે કોરોનાએ માથું ઉચક્યું, કલસ્ટર એરિયામાં નહીં ઉજવાય નવરાત્રિ

Published On - 3:46 pm, Mon, 4 October 21

Next Video