ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પોલિયો અભિયાન 2020નો પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ થકી રાજયના 5 વર્ષ સુધીના 80 લાખ બાળકોને અભિયાનમાં આવરી લેવાશે. તેમજ 33 હજાર 641 બુથ મારફતે 1.52 લાખ આરોગ્યકર્મીઓ આ અભિયાનમાં ફરજ બજાવશે. પ્રત્યેક ટીમ દીઠ 2 વ્યક્તિની ફાળવણી કરવામાં આવશે અને 7 હજાર 465 ટીમો સુપરવિઝનનું કામ કરશે.
સાથે જ નાયબ મુખ્યપ્રધાન અને રાજયકક્ષાના આરોગ્યપ્રધાન કુમાર કાનાણી પણ આ અભિયાનમાં જોડાશે. મહત્વનું છે કે વર્ષ 2015માં પોલિયોમુક્ત ગુજરાતને લઇને યુનાઇટેડ નેશન્સ અને યુનિસેફ દ્વારા ગુજરાત સરકારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2007 પછી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો