
નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામે છાતીસમાના પાણીમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે. નદી પર કોઝવે ન હોવાના કારણે ગ્રામજનો છાતીસરસા પાણી વચ્ચે જીવનું જોખમ ખેડીને મૃતદેહ લઈ જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની મજબૂરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. નદી પાર કરવામાં જીવનું જોખમ છે, પરંતુ મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર પણ જરૂરી હોવાથી ગ્રામજનો જીવનું જોખમ ખેડીને પણ નદીની પેલેપાર જઈ રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિ સર્જાય છે. આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
આ પણ વાંચો: સુરત: BRTS રેડ બસના કર્મચારીઓમાં રોષ, લોકડાઉનમાં સતત નોકરી કર્યા બાદ પણ પગાર ન વધારાતા કર્યો વિરોધ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 1:47 pm, Wed, 2 September 20