કોરોના બાદ હવે જામનગરમાં ડેન્ગ્યુની દહેશત સામે આવી છે. ગત વર્ષે રાજયમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં નોંધાયા હતા. 2000થી વધુ કેસ અહીં સામે આવ્યા હતા. જેને ધ્યાને લઈને આ વખતે મહાનગર પાલિકાએ અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જામનગરના 16 વોર્ડમાં કુલ 800 જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ડોર-ટુ-ડોર સર્વેલન્સની કામગીરી કરી હતી. જેમાં આરોગ્યની ટીમે ઘરે-ઘરે જઈને લોકોને ખુલ્લા પાત્રમાં પાણીનો સંગ્રહ ના થાય તે માટે કાળજી રાખવા માટે અપીલ કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો