Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી

પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી
Follow Us:
| Updated on: Mar 05, 2023 | 2:30 PM

પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી છે. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી છે. પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીગ્રામના મામલતદારે નોંધાવી પ્રદીપ શર્મા સામે ફરિયાદ

જમીન કૌભાંડ મામલે કુલ ત્રણ અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. IPC 409,120B અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ પ્રદીપ શર્મા સામે સત્તાના દુરુપયોગ અને જમીન કૌભાંડ મામલે ગુના દાખલ થયા હતા. ત્યારે ફરી એક વખત CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ પ્રદીપ શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન જમીન ગેરરીતિના અનેક કેસ

ગાંધીધામના ચુડવા ગામે સરકારી જમીનનો વિવાદ હતો. આ જમીનના કસ્ટોડીયન પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા હતા. તેમના ઉપર સત્તાનો દુરુપયોગ કરીને આ જમીન ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે અન્ય વ્યક્તિઓને આપી દેવાનો આરોપ છે. તત્કાલિન કલેક્ટર અને રિટાયર્ડ IAS પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન ભૂજમાં કેટલાક જમીનના કેસોમાં ગેરરીતિ આચરી હોવાની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી. આ તમામ મામલાઓની અલગ અલગ કક્ષાએથી તપાસ કરવામાં આવી રહી છે.

પ્રદીપ શર્માની ધરપકડ બાદ કરવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ

પ્રદીપ શર્માની અમદાવાદના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. તેમનો મેડિકલ ટેસ્ટ થઇ ચુક્યો છે. બપોર સુધીમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમણે આ જમીન કૌભાંડ કોના કહેવાથી આચર્યુ હતુ અને આ જમીનને લગતા અન્ય લોકો સાથે શું સાંઠ ગાંઠ હતી, તે તમામ મામલાની હવે તપાસ કરવામાં આવશે. મહેસુલ વિભાગ તરફથી આ સમગ્ર મામલે તપાસ કરી લેવામાં આવી છે. હવે CID ક્રાઇમ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે. અન્ય કોઇ લોકોની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે.

g clip-path="url(#clip0_868_265)">