AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી

પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

Breaking News : પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ભૂજ CID ક્રાઇમે કરી ધરપકડ, જમીન કૌભાંડના કેસમાં કાર્યવાહી
| Updated on: Mar 05, 2023 | 2:30 PM
Share

પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી છે. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી છે. પ્રદીપ શર્માને બપોર બાદ ભુજ કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ બીજી વખત તેમની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીગ્રામના મામલતદારે નોંધાવી પ્રદીપ શર્મા સામે ફરિયાદ

જમીન કૌભાંડ મામલે કુલ ત્રણ અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. IPC 409,120B અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ પ્રદીપ શર્મા સામે સત્તાના દુરુપયોગ અને જમીન કૌભાંડ મામલે ગુના દાખલ થયા હતા. ત્યારે ફરી એક વખત CID ક્રાઇમ ભૂજ પોલીસ મથકે ગાંધીગ્રામના મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ પ્રદીપ શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન જમીન ગેરરીતિના અનેક કેસ

ગાંધીધામના ચુડવા ગામે સરકારી જમીનનો વિવાદ હતો. આ જમીનના કસ્ટોડીયન પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા હતા. તેમના ઉપર સત્તાનો દુરુપયોગ કરીને આ જમીન ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે અન્ય વ્યક્તિઓને આપી દેવાનો આરોપ છે. તત્કાલિન કલેક્ટર અને રિટાયર્ડ IAS પ્રદીપ શર્માના કાર્યકાળ દરમિયાન ભૂજમાં કેટલાક જમીનના કેસોમાં ગેરરીતિ આચરી હોવાની સંખ્યાબંધ ફરિયાદો થઇ હતી. આ તમામ મામલાઓની અલગ અલગ કક્ષાએથી તપાસ કરવામાં આવી રહી છે.

પ્રદીપ શર્માની ધરપકડ બાદ કરવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ

પ્રદીપ શર્માની અમદાવાદના તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. તેમનો મેડિકલ ટેસ્ટ થઇ ચુક્યો છે. બપોર સુધીમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તેમણે આ જમીન કૌભાંડ કોના કહેવાથી આચર્યુ હતુ અને આ જમીનને લગતા અન્ય લોકો સાથે શું સાંઠ ગાંઠ હતી, તે તમામ મામલાની હવે તપાસ કરવામાં આવશે. મહેસુલ વિભાગ તરફથી આ સમગ્ર મામલે તપાસ કરી લેવામાં આવી છે. હવે CID ક્રાઇમ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને પુરાવા એકત્ર કરી રહી છે. અન્ય કોઇ લોકોની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ થશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">