કોરોના છતાં તમામ દુકાનો ચાલુ તો થઈ ગઈ છે પરંતુ વેપાર હજુ થતો નથી. કોરોનાની અસર એવી છે કે, તહેવારોમાં પણ તિજોરીઓ ખાલી જ પડી છે. બનાસકાંઠામાં મીઠાઈની દુકાનોમાં એકલ-દોકલ જ ગ્રાહક જોવા મળે છે. નવરાત્રી અને દિવાળીના સમયે દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામેલી રહેતી હતી ત્યાં હવે માંડ ગ્રાહક આવે છે. શ્રાવણ મહિનાથી શરૂ થતાં તહેવારોથી લઈને અત્યાર સુધી સ્થિતિ જેમની તેમ છે. કોરોના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વળી, બહારની વસ્તુઓ ખાતા પણ અચકાઈ રહ્યા છે તેથી જ પહેલાની જેમ વેપાર થતો નથી. ફરસાણ અને મીઠાઈનું વેચાણ ખૂબ ઘટી ગયું છે. જો આવી જ સ્થિતિ રહેશે તો દિવાળી પણ ફિક્કી જશે, તેવો ભય વેપારીઓને છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો