દેશભરમાં નાગરિકતા બીલને લઈ હોબાળો થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. મૂળ ભારતીય મહિલા હસીનાબેને 20 વર્ષ પહેલા પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે લગ્ન બાદ તેમના પતિનું મોત થયું હતું. ત્યારબાદ મહિલાએ 2 વર્ષ પહેલા ફરી ભારતના નાગરિકત્વ માટે અરજી કરી હતી. જેથી દેવભૂમિદ્વારકાના કલેક્ટરે મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ નાગરિકતા સુધારા કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓ આ કાયદાનો વિરોધ કરી રહી છે કે આ કાયદો બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે અને તેની સાથે જ ઘણી અન્ય વાતોનું પણ ઉલ્લંઘન કરે છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકારનો આ કાયદો દેશમાં અલ્પસંખ્યકો પ્રત્યે ડર ઉભો કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે સાહિત્યસર્જન અને કલાત્મક અભિગમ વિકસાવવા માટે સારો સમય છે
Published On - 4:03 am, Thu, 19 December 19