Dang : મહાત્મા ગાંધીજી(Mahatma Gandhi)ની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi – Prime Minister of India)ની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન(Swachhata Hi Seva 2023) હાથ ધરવામા આવ્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ(Bhupendra Patel – Chief Minister of Gujarat)ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો : Surat : હીરા બજારમાં મંદીના માહોલ, અમેરિકાની Lab-Grown Diamond કંપનીએ નાદારી જાહેર કરી પડતા પર પાટુ માર્યું
સમગ્ર રાજ્યમાના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝીયમ, હેરીટેજ બિલ્ડીંગ, પુરાતત્ત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્રોતો અને સમુદ્ર કિનારાની સફાઇ હાથ ધરવામા આવી રહી છે. રાજ્યના સૌથી મોટા વનવિસ્તાર ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામા આવ્યો છે. ડાંગ જિલ્લામા આવેલ રસ્તાઓ તેમજ રસ્તાની આજુબાજુના કચરા સહિત ચોમાસામાં ઊગી નીકળતા ઝાડી ઝાંખરાનો નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જાહેરમાર્ગોની સ્વચ્છતા હાથ ધરી વાહન ચાલકોને સુગમતા કરી આપવાનો પ્રયાસ હાથ હાથ ધરવામા આવ્યો છે.
આ પણ વાંચો : Surat Video : દહેજની લાલચમાં પરણીતાને આત્મહત્યા માટે મજબુર કરનાર પતિ અને સાસુની ધરપકડ કરાઈ
Published On - 8:22 am, Tue, 17 October 23