જન્માષ્ટમીને લઈને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે. રણછોડરાયના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવ્યા છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે. મંદિર બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરને ચારે બાજુથી સજાવવામાં આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ડાકોર રણછોડરાય મંદિરના સમય મુજબ સવારે 6.30 કલાકે મંગળઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 થી 1.30 કલાકે ભગવાન પોઢી જશે. તે પછી રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, પંચમૃત સ્નાન અને ભગવાનને દાગીના પહેરાવાશે, 1.30 કલાકે મોટો મુગટ પહેરાવાશે અને રાત્રે 2થી 3 કલાકે ભગવાન સોનાના પારણમાં ઝુલશે. તે પછી બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટે સવારે 9 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને 12.30 વાગ્યે નંદ મહોત્સવ ઉજવાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]