દાહોદ (Dahod) જિલ્લામાં કાંટુ ગામમાં સામાન્ય ઝઘડામાં બે સગીર (Teenager) ભાઈઓનું અપહરણ બાદ હત્યા (Murder) કારી નાખવામાં આવી હતી. ધાનપુરાના કાટુ ગામેથી 10મેએ બંને સગીર ભાઈ ગુમ થયા હતા. જે બંને ભાઈના મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો સમગ્ર ગામમાં પણ સોપો પડી ગયો છે. આરોપ છે કે, સામાન્ય ઝઘડામાં ગામના જ એક યુવકે સગીર ભાઈઓનું અપહરણ કર્યું હતું બાદમાં તેની હત્યા કરી નાખી છે. બે ભાઈમાંથી એકનો મૃતદેહ જંગલ નજીક રસ્તા પરથી પથ્થર નીચે દટાયેલી હાલતમાં મળી આવ્યો છે. જ્યારે અન્ય ભાઈનો મૃતદેહ કૂવામાંથી મળ્યો છે. મૃતક એક ભાઈની ઉંમર 10 વર્ષ અને બીજા ભાઈની ઉંમર 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે (Police) વધુ તપાસ શરૂ કરી છે. ગત 10 મેએ બાળકો ગુમ થયાં હતાં હવે તેઓની લાશો મળતાં સામાન્ય ઝઘડો હત્યામાં ફેરવાયો છે.
દાહોદ જિલ્લામાં કાંટુ ગામેથી 10 મેએ બંને ભાઇઓ ગુમ થયા હતા. એક ભાઈનો મૃતદેહ પથ્થર નીચે દટાયેલી હાલતમાં મળ્યો હતો જ્યારે બીજાનો મૃતદેહ કુવામાંથી મળ્યો હતો. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે પુરા ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના પુત્ર દિલીપ બાભણિયા (ઉ. 10) તથા રાહુલ બાંભણિયા (ઉ. 12) બંન્ને ભાઈઓ નજીકમાં આવેલ શંકરભાઈ વીરસીંગભાઈ બામણિયાના ઘરે રમવા માટે ગયાં હતાં. આ દરમ્યાન કાટું ગામના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનિયા એક બાઈક લઈને સાંજના આઠ વાગ્યાના આસપાસ ત્યાં આવ્યાં હતાં અને બંન્ને ભાઈઓને જમાડવાની લાલચ આપી મોટરસાઈકલ ઉપર બેસાડીને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે મોડી સાંજ સુધી બંન્ને ભાઈઓ ઘરે પરત ન આવતાં તેમના પરિવાજનો દ્વારા બંન્ને ભાઈઓની શોધખોળ કરવામાં આવી હતી. જોકે ભારે શોધખોળ બાદ પણ ગુમ થયોલા બંન્ને ભાઈઓની કોઈ ભાળ ન મળતાં પરિવારજનો દ્વારા મામલે ધાનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસની વિસ્તારોમાં શોધખોળ કરતાં બેને ભાઈઓની અલગ અલગ જગ્યાએથી લાશો મળી આવી હતી. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
Published On - 3:30 pm, Fri, 13 May 22