ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. હવામાન વિભાગે 13 તારીખે સવારે વાવાઝોડું ટકરાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જે 13 જૂને સવારે 6થી 7ની વચ્ચે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવના દરિયાકાંઠે ત્રાકટી શકે છે. અને સિવિયર સ્ટ્રોમમાં 110થી 135 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લગભગ 24 કલાકમાં જ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું ગુજરાતના વેરાવળથી 690 કિલોમીટર દૂર છે.
હવામાન વિભાગ પ્રમાણે, વાયુ વાવાઝોડું 14 તારીખે નબળુ પડવાની શક્યતા છે. આ પહેલાં 11થી 13 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
Published On - 7:35 am, Tue, 11 June 19