રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને હોટલ રેસ્ટોરન્ટ અને કેન્ટિનના રસોડામા ગ્રાહકને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિયેશને આ બાબતે ઉગ્ર વિરોધ કરવાનુ મન બનાવી લીધુ છે. હોટલ માલિકોએ પરિપત્રના વિરોધ માટે કેટલાંક કારણો આપ્યા છે. જેમકે ગ્રાહક રસોડામા જતા ગંદકી કે ઇન્ફેક્શન ફેલાઇ શકે. ગ્રાહકો બ્લેકમેલ કરી શકે છે.
બિલ ન ચુકવવા નવા કિમિયા કરી શકે. અન્ય હોટલ સંચાલકો કારીગરો સાથે સીધા સંપર્કમા આવી શકે. અથવા તેમની મોનોપોલી જળવાશે નહી. કિચનના ઇન્ટીરિયર અને મેથડની મોનોપોલી નહી રહે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટૂંકમાં હોટલ માલિકોનું કહેવું છે કે આ પરિપત્ર કોઈ રીતે યોગ્ય નથી. અને હવે એટલે જ તેમણે મુખ્યમંત્રીને રજુઆત કરવા માટે જવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં તેમના વિરોધ અંગે કોઇ યોગ્ય વિચારણા નહીં કરાય તો કાયદાકીય રીતે અને અને શક્ય એ તમામ રીતે ઉગ્ર વિરોધની પણ તૈયારી તેમણે કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો