બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. રાજ્ય સરકારે ભલે કહી દીધું કે પરીક્ષા રદ નહીં થાય પરંતુ પરીક્ષાર્થીઓમાં આક્રોશ ભારોભાર છે. સરકારના આ નિર્ણયની સામે પરીક્ષાર્થીઓએ રાતભર ધરણાં કર્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે ગાંધીનગરમાં ચાલી રહેલા બિનસચિવાલયની પરીક્ષાના વિરોધમાં હવે કલેક્ટર સાથેની મંત્રણા બાદ પરીક્ષાર્થીઓની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા છે અને પરીક્ષાર્થીઓ સાથે બેઠા હતા. કોંગ્રેસે આંદોલનને સમર્થન આપ્યું છે. તેમને કહ્યું કે હું વિદ્યાર્થીઓને મળવા આવ્યું છું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો