ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા બાદ ભાજપ મનામણા કરવાની કોશિશમાં છે. આ ઘટનાક્રમ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કેતન ઈનામદાર નારાજ નથી. સાથે કોંગ્રેસને પણ પડકાર કર્યો છે.
નીતિન પટેલે કહ્યું કે, ભાજપમાં હજારો કાર્યકર અને અનેક નેતાઓ છે. ધારાસભ્યોની પણ મોટી સંખ્યા પક્ષની છે. જેથી કેટલાક ધારાસભ્યોને મન દુઃખ થાય તો, તેની રજૂઆત કરી શકે છે. અને કેતનભાઈએ પણ પોતાની લાગણી રજૂ કરી છે. વિજય રૂપાણી અને જીતુભાઈ વાઘાણીએ બધી પરિસ્થિતિને લઈ નિવેદન આપ્યું જ છે. યોગ્ય નિરાકરણ લાવવાની વાત પણ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો